સુરત : ગોડાદરામાં કન્સ્ટ્રકશન સાઇટ નજીક છત્રી લેવા જતાં યુવક ઊંડા ખાડામાં ગરકાવ થયો…

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાં ગરકાવ થયો હતો.

New Update

સુરતશહેરના ગોડાદરા વિસ્તારમાંકન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાંગરકાવથયો હતો.

મળતી માહિતી અનુસાર,સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાં ગરકાવ થયો હતોયુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે ખાડો પાણીથી ભરાઈ ગયો હતો. જેથી ફાયર ફાઇટરો સહિત પોલીસે ભારે જહેમત સાથે ખાડામાં ગરકાવ યુવકની શોધખોળ શરૂ કરી હતી.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.