સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 15 હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ

સફેદ માખીનો કહેર ખેડૂતોની ચિંતાનું કારણ બન્યો છે,શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો લાચાર બન્યા છે.15 હજાર એકર શેરડીના પાકમાં નુક્સાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.

New Update

દક્ષિણ ગુજરાતમાં ખેતીના પાકને નુકસાન

વરસાદના કારણે ખેતીના પાકમાં પડી જીવાત 

શેરડીના ઉભા પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ 

સફેદ માખીથી ખેડૂતોની ચિંતામાં વધારો 

કૃષિ મંત્રી પાસે ખેડૂતોએ કરી નુક્સાનીના સર્વેની માંગ 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડ અસર ખેતીના પાકમાં જોવા મળી રહી છે.અંદાજીત 15 હજાર એકર જમીનમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે,જેના કારણે ખેડૂતોએ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.ખેતી માટે વરસાદ હવે નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે.ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા, અને બારડોલી સહિતનાં વિસ્તારમાં સફેદ માખીનો કહેર ખેડૂતોની ચિંતાનું કારણ બન્યો છે,શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો લાચાર બન્યા છે.15 હજાર એકર શેરડીના પાકમાં નુક્સાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.
હાલમાં શેરડીનો પાક ઉભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડ અસર ઉભી થતી હોવાથી ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે,આ અંગે ખેડૂતો દ્વારા રાજ્ય કૃષિ મંત્રી સુધી રજૂઆત કરીને ખેતીમાં થયેલા નુકસાન અંગે સર્વે કરાવીને યોગ્ય સહાય માટેની માંગ કરી રહ્યા છે. 
Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.