સુરેન્દ્રનગર : સાયલાના સુદામડા ગામે પિતરાઇ ભાઇઓ વચ્ચે ઝગડામાં એકનું મોત

New Update
સુરેન્દ્રનગર : સાયલાના સુદામડા ગામે પિતરાઇ ભાઇઓ વચ્ચે ઝગડામાં એકનું મોત

કહેવાય છે ને કે જર, જમીન અને જોરૂ છે કજિયાના છોરૂ... આ ઉકિતને  સુરેન્દ્રનગર સાયલા તાલુકાના સુદામડા ગામે બનેલી એક ઘટનાએ સાર્થક કરી જીલ્લાના છે. જમીન બાબતે પિતરાઇ ભાઇઓ વચ્ચે થયેલાં ઝગડામાં એક ભાઇને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે બનવા પામ્યો હતો. જેમાં સગા કાકાના દીકરાએ છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા પોતાના ભાઇની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. એક જ પરીવારના લોકો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો હતો. આ લોહિયાળ જંગમાં સગા કાકાના દીકરાએ ઘનશ્યામસિંહ કનુભા ઝાલા ( ઉંમર વર્ષ 40 )ની છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા કરી હતી. આ હત્યાના ગોઝારા બનાવની જાણ થતાં સાયલા પોલીસ મથકના પીએસઆઇ તથા મામલતદાર તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સાયલા પોલીસે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમ જમીન બાબતે ચાલી રહેલા ઝગડામાં એક યુવાનનો ભોગ લેવાય ગયો હતો.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.