કહેવાય છે ને કે જર, જમીન અને જોરૂ છે કજિયાના છોરૂ... આ ઉકિતને સુરેન્દ્રનગર સાયલા તાલુકાના સુદામડા ગામે બનેલી એક ઘટનાએ સાર્થક કરી જીલ્લાના છે. જમીન બાબતે પિતરાઇ ભાઇઓ વચ્ચે થયેલાં ઝગડામાં એક ભાઇને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે બનવા પામ્યો હતો. જેમાં સગા કાકાના દીકરાએ છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા પોતાના ભાઇની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. એક જ પરીવારના લોકો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો હતો. આ લોહિયાળ જંગમાં સગા કાકાના દીકરાએ ઘનશ્યામસિંહ કનુભા ઝાલા ( ઉંમર વર્ષ 40 )ની છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા કરી હતી. આ હત્યાના ગોઝારા બનાવની જાણ થતાં સાયલા પોલીસ મથકના પીએસઆઇ તથા મામલતદાર તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સાયલા પોલીસે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમ જમીન બાબતે ચાલી રહેલા ઝગડામાં એક યુવાનનો ભોગ લેવાય ગયો હતો.
સુરેન્દ્રનગર : સાયલાના સુદામડા ગામે પિતરાઇ ભાઇઓ વચ્ચે ઝગડામાં એકનું મોત
New Update