ભૂકંપગ્રસ્ત મ્યાનમાર સાથે ઉભું છે ભારત, મોદીએ સેના પ્રમુખ મિન આંગ સાથે કરી વાત
મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. તેમણે કહ્યું કે ભારત તમામ શક્ય મદદ માટે તૈયાર છે. બચાવ કાર્ય માટે NDRFની 80 સભ્યોની ટીમ પણ મોકલવામાં આવી હતી.