શીખ સમુદાયે ગુરૂનો શહીદ દિન મનાવ્યો, ડેપો વિસ્તારમાં શરબત વિતરણ

New Update
શીખ સમુદાયે ગુરૂનો શહીદ દિન મનાવ્યો, ડેપો વિસ્તારમાં શરબત વિતરણ

શીખ સમુદાયના ગુરૂ અર્જન દેવજીના શહીદ દિન નિમિત્તે  શીખ સમુદાય દ્વારા જંબુસર એસટી ડેપો સર્કલ નજીક શરબત વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શીખ સમુદાયના ગુરૂ અરજન દેવ શાંત અને વિનમ્ર સ્વભાવના હોય લોકો તેમનાથી આકર્ષિત થતાં હતાં. શહિદો કે સરતાજ ભક્તોના વ્હાલા અર્જનદેવનું  બચપણ તેમના નાના શ્રી ગુરુ અમરદાસજીની દેખરેખમાં થયું હતું. તેઓ  માં નદીમાં સમાઈ ગયાં હતાં. તે દિવસની શીખ સમુદાય શહીદ દિવસ તરીકે મનાવે છે. જંબુસર નગરના એસટી ડેપો પાસે યોજાયેલાં કાર્યક્રમમાં  સરવન સિંહ, સુરજિત સિંહ,  સુખદેવસિંહ, સુખરાજ સિંહ , અજિત સિંહ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. આ પ્રસંગે હિન્દુ મુસ્લીમ સમાજના યુવાનો જોડાઇ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Latest Stories