Connect Gujarat
ટ્રાવેલ 

રામ ભક્તો માટે રેલવે વિભાગે કરી મોટી જાહેરાત, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે 1000થી વધુ ટ્રેન દોડાવશે

રામ ભક્તો માટે રેલવે વિભાગે કરી મોટી જાહેરાત, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે 1000થી વધુ ટ્રેન દોડાવશે
X

અયોધ્યામાં ભગવાન રામનું દિવ્ય મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે લગભગ તૈયાર છે. ભગવાન રામ 22 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. 500 વર્ષની રાહ જોયા બાદ રામલલ્લા તેમના દિવ્ય મહેલમાં બિરાજમાન થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ભારતીય રેલ્વે પણ આ માટે ખાસ તૈયારી કરી રહ્યું છે. નવનિર્મિત રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રથમ 100 દિવસ દરમિયાન રામ ભક્તોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા માટે 1,000 થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોનું સંચાલન 19 જાન્યુઆરી, 2024થી શરૂ થવા જઈ રહ્યું છે.

ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પછી 23 જાન્યુઆરી, 2024 થી મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાશે. આ ટ્રેનો દ્વારા રામ નગરી અયોધ્યાને દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા, નાગપુર, લખનઉ અને જમ્મુ સહિતના ઘણા મોટા શહેરો સાથે જોડવામાં આવશે, જેનાથી શ્રદ્ધાળુઓ માટે મુસાફરી સરળ બનશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જો માંગ વધશે તો ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી શકે છે. પ્રવાસીઓના અંદાજિત વધારાને ધ્યાનમાં રાખીને અયોધ્યા સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી શકે છે. નવા સ્ટેશનમાં દરરોજ 50 હજાર લોકોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે. જે 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. રેલવે હાલમાં રાજ્યોની મદદથી ટ્રેનોની સંખ્યા અને સમયપત્રક પર કામ કરી રહ્યું છે.

Next Story