/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/28150611/bvb.jpg)
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની મુલાકાત લઇને તબીબી સારવાર અને સુવિધાની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં ડિઝાસ્ટર છે તે ગવર્મેન્ટ મેડ ડિઝાસ્ટર છે. ગુજરાત જેવુ સમૃદ્ધ રાજ્ય ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરી શક્યું નથી, જેથી ગુજરાતના શહેરો અને ગામડાઓમાં ઓક્સિજનની કમીના કારણે કારણે છેલ્લા 3 દિવસમાં 80 લોકોના મોત થયા છે. આ કોઇ બીમારીના કારણે નહીં પણ સરકારના મીસ મેનેજમેન્ટના કારણે થયા છે. આ જાણી જોઇને હત્યા કરી હોય તેવો ગુનો છે. એટલે આ સરકાર માનવ વધનો ગુનો દાખલ થવો જોઇએ.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, WHOએ શરૂઆતના તબક્કામાં ગાઇડલાઇન અને ચેતવણી આપી હતી, જોકે તેની અનદેખી કરીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારથી કોરના આવ્યો હતો. ભાજપના શાસકોએ 13 મહિનામાં કોઇ તૈયારી કે, વ્યવસ્થા ઉભી ના કરી અને રાજકીય ઉત્સવો અને તાયફાઓ કર્યાં છે. સરકારા મીસ મેનેજમેન્ટના કારણે રોજેરોજ લોકો મરી રહ્યા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરામાં રોજ 170 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરીયાત છે. ગઇકાલે માત્ર 140 મેટ્રિક ટન ઓક્સિજનનો જ સપ્લાય થયો છે, એટલે 30 મેટ્રિક ટન ઓક્સિજનની શોર્ટેઝ હોય તો 3 હજાર દર્દીઓને અસર કરે, કેટલાય લોકો ઓક્સિજનની કમીને કારણે મરી રહ્યા છે. તેનું કારણ સરકારની નિષ્કાળજી અને બેજવાબદાર નીતી છે. ફક્ત ઓક્સિજન જ નહીં પણ રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોને ભટકવુ પડે છે. ડિમાન્ડ છે તેના માત્ર 40 ટકા ઇન્જેક્શનની જ સપ્લાય થાય છે. કાળાબજારના ઇન્જેક્શન 25 હજાર સુધીમાં લોકો ખરીદવા માટે મજબૂર બન્યા છે અને વેન્ટિલેટરની કમીને કારણે લોકો મરી રહ્યા છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, જે પ્રજા સરકારની તીજોરીમાં ટેક્સના પૈસા જમા કરાવે છે, તે પ્રજા ઇન્જેક્શન અને ઓક્સિજનના અભાવે મરી રહી છે. સરકાર સદ્દતર નિષ્ફળ રહી છે. અમે સરકારની સાથે છીએ, જે મદદ જોઇતી હોય તે અમે કરવા માટે તૈયાર છીએ. નિષ્ણાંતોની મદદ લેવી જોઇએ. આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર થવાની છે. સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે, નિષ્ણાંતોને બોલાવો અને લાંબા ગાળાનું આયોજન કરે, જેથી સરકાર અહંકાર છોડે, બધાની મદદ લે, અમે સરકારની મદદ કરવા તૈયાર છીએ. અમારી સરકારની અપીલ છે કે, લોકોને વેન્ટિલેટર, ઓક્સિજન અને ઇન્જેક્શન આપીને બચાવો.તેઓએ ઉમેર્યું હતું કે, સરકારને એક વર્ષના સમય મળ્યો તો ઓક્સિજનની વ્યવસ્થા કેમ ન કરી, રેમડેસિવિરનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવા છતાં લોકોને કેમ મળતા નથી, તે મોટો સવાલ છે. આ સરકારે કરેલી ભૂલોનું પરિણામ છે. જેથી સાસકો સામે માનવવધનો ગુનો નોંધાવો જોઇએ.
અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલની મુલાકત કરી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. કોવિડ દર્દીઓની મુલાકાત કરી મળતી સારવાર અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અમિત ચાવડાએ રાજ્યમાં વધતી જતી કોરોના સંક્રમણની સ્થિતિ જોતા સરકારને નક્કર પગલાં ભરવા અપીલ કરી હતી. સયાજી હોસ્પિટલની મુલાકાત બાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સરકારની અણઆવડતના કારણે લોકો મરી રહ્યા છે.