ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતીને પાસાની કાર્યવાહી હેઠળ વડોદરા લવાયો, સેન્ટ્રલ જેલ બહાર સમર્થકોના ટોળા.

જુનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપી લોકોમાં ફેલાવેલી દહેશતના આધારે કાર્યવાહી હાથ ધરી ધરપકડને અનુલક્ષી તેમજ મોડાસાના ત્રીજા કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા.

New Update
ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતીને પાસાની કાર્યવાહી હેઠળ વડોદરા લવાયો, સેન્ટ્રલ જેલ બહાર સમર્થકોના ટોળા.

જુનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત ATSએ મૌલાના મુફતી સલમાન અઝહરી સામે પાસાની કાર્યવાહી બાદ તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યો હતો.

જુનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપી લોકોમાં ફેલાવેલી દહેશતના આધારે કાર્યવાહી હાથ ધરી ધરપકડને અનુલક્ષી તેમજ મોડાસાના ત્રીજા કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. પાસપોર્ટ જમા, હાજરી તેમજ નામદાર કોર્ટની પરવાનગી વગર દેશ ન છોડવાની તેમજ જાહેરમાં ફરીથી આવું ભાષણ નહીં કરવાના શરતી જામીન પર અમદાવાદ જેલમાંથી ગત સાંજે મૌલાનાને મુક્ત કરવામાં આવ્યો હતો. કોર્ટના આદશે બાદ મૌલાના સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ જુનાગઢના કલેક્ટર દ્વારા પાસાના ઓડરની બજવણી કરતા મૌલાનાને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગુજરાત ATS દ્વારા મૌલાના મુફતી સલમાન અઝહરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે, ATSની ટીમ મૌલાના મુફતી સલમાન અઝહરીને લઈને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી, ત્યારે જેલ બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો એકત્ર થયા હતા. જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.