વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

New Update

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યોહતો જેને પગલેવિદ્યાર્થી આગેવાનોએ બીબીએ ફેકલ્ટી ખાતે મોરચો માંડ્યો હતો

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બીબીએમાં લેવાયેલી પરીક્ષા ના પરિણામો જાહેર કરવામાં નહીં આવતા એનએસયુઆઈ ના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનોએ બીબીએ ફેકલ્ટી ખાતે મોરચો માંડ્યો હતો. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો બંદોબસ્તમાં ખડકાઈ ગયો હતો. તેવામાં વિદ્યાર્થીઓએ ઉગ્ર સુત્રોચાર કરતા પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કેવિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના માર્કસ ડિક્લેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીના સત્તાધીશો ભ્રષ્ટાચાર કરે છે અને પૈસાના તોલે એડમિશન આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગફલતો કરવામાં આવી રહી છે અને પૈસાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. NSUIની એક જ માંગ છે કેવિદ્યાર્થીઓના માર્કસ ડિક્લેર કરવામાં આવે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.