વડોદરા : પૂર અસરગ્રસ્તોને સહાય સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાય...

તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક પરિવારો તેમજ મકાનો, વાહનો ઉધ્વસ્ત થયા હતા...

New Update

વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ તારાજી

પાલિકાના સત્તાધીશોએ આપેલા વાહિયાત નિવેદનો વિરોધ

કોંગ્રેસ દ્વારા સંમેલન સહિત જન આક્રોશ રેલી યોજવામાં આવી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત

ટ્યુબ-બોટ લઈ જન આક્રોશ રેલી યોજી તંત્રને આવેદન આપ્યું

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ પાલિકા તંત્રના સત્તાધીશોએ આપેલા વાહિયાત નિવેદનો સામે કોંગ્રેસ દ્વારા સંમેલન સહિત જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ટ્યુબ અને બોટ લઈને જન આક્રોશ રેલીમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.

તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક પરિવારો તેમજ મકાનોવાહનો ઉધ્વસ્ત થયા હતા. સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવામાં ન આવતા પોતાની વેદનાને વાચા આપવા કોંગ્રેસ અસરગ્રસ્તોના વ્હારે આવી છે. જેમાં કોંગ્રેસના આગેવાનો સહિતના કાર્યકરોએ પૂરપીડિતોને સહાય મળે તે માટે જન આક્રોશ રેલી યોજી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાપ્રભારી મુકુલ વાસનીક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક ઉદબોધન સર સયાજીનગર ગૃહ ખાતે મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ત્યાંથી જ પગપાળા વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે જન આક્રોશ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ હાસ્યસ્પદ નિવેદનને સામે જવાબ આપવા માટે કોંગ્રેસના આગેવાનો બોટ તેમજ ટાયર લઈને વિરોધ દર્શાવ્યો હતો.

ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પૂરની પરિસ્થિતિમાં પોતાનો પ્રાણ ગુમાવનાર લોકોને 25 લાખનું વળતર સરકારે આપવું જોઈએવિશ્વામિત્રી તેમજ કાંસો ઉપર ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરવા તેમજ કેસડોલ ચૂકવવા સહિતના 21 જેટલા પ્રાથમિક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.