Connect Gujarat
વડોદરા 

સુરત : પારિવારિક ચર્ચા વેળા બોલાચાલી થતાં સાઢુભાઈની હત્યા, મંદિરમાં જ ઝીંકી દીધા ચપ્પુના ઘા...

કામરેજના ઉભેલ ગામે મંદિરમાં ખેલાયો ખૂની ખેલ સાઢુ ભાઈ વચ્ચે બોલાચાલી બાદ થયો ઉગ્ર ઝઘડો પેટમાં ચપ્પુ વાગતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

X

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેલ ગામે ચત્રાલા કોમ્પલેક્ષની બાજુમાં બંસી એપારમેન્ટ નજીક આવેલ સૂર્ય મુખી હનુમાનજી મંદિરના પરિસરની એક ઓરડીમાં સિપાહિલાલ રામદૂત તિવારી અને તેનો સાઢુ ભાઈ શિવલાલ પાંડે બેઠા હતા, અને પારિવારિક ચર્ચાઓ કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ચર્ચા ઉગ્ર બનતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો કરતા કરતા મંદિરના પરિસરમાં આવી ગયા હતા. શિવ લાલ પાંડેએ ચપ્પુથી સિપાહી લાલ તિવારી પર હુમલો કરી પેટના ભાગે ઉંડા ઘા ઝીંકી દીધા હતા,

ત્યારે બન્ને છોડાવવા મંદિરના પૂજારી વચ્ચે પડતા તેઓને પણ ઇજા થઈ હતી. આ બનાવમાં સિપાહી લાલનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે મંદિરના પૂજારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને અંજામ આપી હત્યારો ફરાર થઈ ગયો હત. બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે હત્યારાને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story