વ્યક્તિગત મકાન સહાય યોજના અંતર્ગત વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણાઓનું સપનું થયું સાકાર...

ઘરનું ઘર એ દરેક માણસનું સપનું હોય છે. પણ દરેક માણસ આ સપનું પૂરુ કરવાની સ્થિતિમાં હોતો નથી,

New Update
વ્યક્તિગત મકાન સહાય યોજના અંતર્ગત વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણાઓનું સપનું થયું સાકાર...

ઘરનું ઘર એ દરેક માણસનું સપનું હોય છે. પણ દરેક માણસ આ સપનું પૂરુ કરવાની સ્થિતિમાં હોતો નથી, ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકારની અનેક યોજનાઓ થકી વડોદરા જિલ્લાના સણિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણા લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે.

આ છે વડોદરા જિલ્લાનું સણિયાદ ગામ કે, જ્યાં રહેતા 9 પરિવારોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. પહેલાં કાચી માટીના ઝુંપડામાં રહેતા હતા અને ચોમાસામાં અનેક પરેશાનીઓનો સામનો કરવો હતો, પણ હવે પાકું મકાન બનતા હાશકારો અનુભવી રહ્યા છે. લાભાર્થી જણાવ્યુ હતું કે, અમારી ઝુંપડીમાં પાણી પડતું હતું. તાડપત્રી બાંધીને રહેતા હતા, ત્યાં ગટરલાઈનનું પાણી પણ હતું. અત્યારે સારામાં સારું છે કે તકલીફ તો દુર થઈ છે. તાપ હતો તેની જગ્યાએ છાંયડો થઈ ગયો છે, અને અમને વ્યક્તિગત મકાન સહાય યોજના અંતર્ગત આ મકાન મળ્યું છે, તે બદલ અમે સરકારનો આભાર માનીએ છે.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં કાચા મકાનમાં કે, ઘર વિહોણા વસતા લોકોને પોતાનું પાકું મકાન બને તે માટે વ્યક્તિગત મકાન સહાય અંતર્ગત લાભાર્થીને રૂ. 1 લાખ 20 હજારની સહાય આપવામાં આવ છે. હવે પોતાનું પાકું મકાન બનતાં લાભાર્થીઓ કહી રહ્યા છે કે, તાપ હતો તેની જગ્યાએ છાંયડો છે. વડોદરા જિલ્લાના સણિયાદ ગામ સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં અનેક ઘરવિહોણા લોકો રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ થકી આવાસ મેળવી રહ્યા છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories