સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.

New Update

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે. છેલ્લા 9 દિવસમાં 27થી વધુ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયા હોવાના કેસ નોંધાયા છેઅને મોતનો આંકડો પણ 25 સુધી પોહોંચ્યો છેત્યારે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ આવ્યા છે. SSCના હેલ્થ બુલેટિન પ્રમાણે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ ગ્રામ્ય વિસ્તરના છે. સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કેચાંદીપુરા વાયરસ માટે કોઈ એન્ટી વાયરલ વેક્સિનની હજુ સુધી ખોજ થઇ નથી. એટલે આ વાયરસને ખતરનાક પણ માનવામાં આવે છે.

 

Latest Stories