સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.

New Update

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે. છેલ્લા 9 દિવસમાં 27થી વધુ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયા હોવાના કેસ નોંધાયા છેઅને મોતનો આંકડો પણ 25 સુધી પોહોંચ્યો છેત્યારે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ આવ્યા છે. SSCના હેલ્થ બુલેટિન પ્રમાણે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ ગ્રામ્ય વિસ્તરના છે. સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કેચાંદીપુરા વાયરસ માટે કોઈ એન્ટી વાયરલ વેક્સિનની હજુ સુધી ખોજ થઇ નથી. એટલે આ વાયરસને ખતરનાક પણ માનવામાં આવે છે.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.