વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે. છેલ્લા 9 દિવસમાં 27થી વધુ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયા હોવાના કેસ નોંધાયા છે, અને મોતનો આંકડો પણ 25 સુધી પોહોંચ્યો છે, ત્યારે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ આવ્યા છે. SSCના હેલ્થ બુલેટિન પ્રમાણે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ ગ્રામ્ય વિસ્તરના છે. સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસ માટે કોઈ એન્ટી વાયરલ વેક્સિનની હજુ સુધી ખોજ થઇ નથી. એટલે આ વાયરસને ખતરનાક પણ માનવામાં આવે છે.