વડોદરા : ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શો યોજાયો, આકાશી દ્રશ્યો જોઈ લોકો અચંબિત થયા

ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનોએ આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા

New Update
  • ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન

  • સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું આયોજન

  • એસફોર્સના આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કર્યા

  • 20 કિલોમીટરના વિસ્તારમાં આ એર-શો જોવા મળ્યો

  • કેટલાક લોકોએ પોતાની અગાસીમાંથી એર-શો નિહાળ્યો

વડોદરા ખાતે ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનોએ આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા હતા.

ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાન દ્વારા અદભુત કરતબ બતાડવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં 14 વર્ષ બાદ પ્રથમ વખત આ ડિસ્પ્લે એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં આ એર-શો જોવા મળ્યો હતોજેને લઇ કેટલાક લોકોએ પોતાની અગાસીમાંથી પણ એર-શોને નિહાળ્યો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.