વડોદરા : નવરચના યુનિવર્સિટીમાં યોજાશે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, તજજ્ઞો પોતાના અનુભવો-તારણોનું કરશે આદાન-પ્રદાન

New Update
વડોદરા : નવરચના યુનિવર્સિટીમાં યોજાશે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, તજજ્ઞો પોતાના અનુભવો-તારણોનું કરશે આદાન-પ્રદાન

વડોદરા વિસ્તારની પ્રિમિયર મલ્ટીડીસીપ્લીનરી પ્રાઇવેટ યુનિવર્સિટી, નવરચના યુનિવર્સિટી મોલેક્યુલર મેડીસીન-રિપ્રોડક્શન અને એન્ડોક્રિનોલોજી વિષય અંતર્ગત આગામી તા. 14થી 16 સપ્ટેમ્બર દરમ્યાન ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ નવરચના યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં બાયોમેડીકલ અને લાઈફ સાયન્સિસ વિભાગ, સ્કૂલ ઓફ સાયન્સના ઉપક્રમે “ધ સોસાયટી ફોર રિ-પ્રોડક્ટિવ બાયોલોજી એન્ડ કમ્પેરેટિવ એન્ડોક્રિનોલોજી”ના સહયોગથી યોજવામાં આવી છે. ICMMRI-2023માં દુનિયાભરમાંથી અગ્રણી શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, સંશોધન એકઠા થઈને પોતાના અનુભવો અને સંશોધનના તારણોનું આદાન-પ્રદાન કરશે. આ કોન્ફરન્સ જે તે વિષયના વિવિધ પ્રોફેશનલ્સ માટે ઇન્ટર ડીસીપ્લીનરી પ્લેટફોર્મ પુરવાર થશે, અને આ વિષયના નવા ઇનોવેશન, તરાહો, પડકારો અને ઉપાયો અંગે પરામર્શ કરવામાં આવશે. આ કોન્ફરન્સની સાથે સાથે ICMMRI-2023ની 40મી વાર્ષિક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.