વડોદરા: આર્થિક સંકળામણથી કંટાળી પરિવારે કર્યો આપઘાત, પત્ની અને પુત્રના મોત, પતિ સારવાર હેઠળ

વડોદરાનો ચકચારી બનાવ, કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારે કર્યો આપઘાત.

New Update
વડોદરા: આર્થિક સંકળામણથી કંટાળી પરિવારે કર્યો આપઘાત, પત્ની અને પુત્રના મોત, પતિ સારવાર હેઠળ

વડોદરામાં આર્થિક સંકળામણથી કંટાળી પરિવારે આપઘાત કર્યો હોવાનો ચકચારી મામલો સામે આવ્યો છે જેમાં પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, તેની પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે મુકેશભાઈએ ઝેરી દવા પી પોતાના ગળા પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

હાલ તેને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મુકેશભાઈએ જ પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતારી જાતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મુકેશભાઈ આર્થિકભીંસથી કંટાળી આવું પગલું ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સારવારમાં ખસેડતી સમયે ઈજાગ્રસ્ત મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ખાવા-રહેવા માટે પૈસા તો જોઈને, મેં મારી જાતે બ્લેડના ઘા માર્યા છે. પોલીસને પંચાલ પરિવાર પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. 

જેમાં મકાનમાલિક મકાન ખાલી કરાવવાનું કહેતા પરિવાર ચિંતામાં હતો તેવું લખવામાં આવ્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. 

Latest Stories