વડોદરા: પ્રથમ નોરતે જ ગરબા ખેલૈયાઓને થયો કડવો અનુભવ,ઓનલાઇન પાસ બતાવવા છતાં પ્રવેશ ન મળ્યો

વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં એન્ટ્રી પાસને લઈને ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો,ઓનલાઇન પાસ બતાવવા છતાં પણ પ્રવેશ આપવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

New Update

વડોદરામાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓને થયો કડવો અનુભવ 

LVP હેરિટેજ ગરબા ગ્રાઉન્ડનો બનાવ

પાસ ગમ થયા બાદ ખેલૈયાઓ સાથે થયું ગેરવર્તન 

ખેલૈયાઓએ ખરીદ્યા હતા ઓનલાઇન પાસ  

પાસ તેમજ QR બતાવવા છતાં ન મળ્યો પ્રવેશ 

વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં એન્ટ્રી પાસને લઈને ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો,ઓનલાઇન પાસ બતાવવા છતાં પણ પ્રવેશ આપવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓને કડવા અનુભવ માંથી પસાર થવાનો વારો આવ્યો હતો,ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી દરમિયાન પાસ ગુમ થઇ ગયા બાદ ગરબા ખેલૈયાએ ઓનલાઇન પાસ તેમજ QR બતાવ્યો હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો.અને પાસ ખોવાઈ ગયો અને મોબાઈલમાં ઓનલાઇન પાસની કોપી બતાવવા છતાં પણ  બીજા પાસ માટે એક હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ ભોગ બનનાર યુવાને કર્યો હતો.વધુમાં આ યુવાને રોષપૂર્વક જણાવ્યું હતું કે ઓનલાઇન પાસ કાઢવા છતાં ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં.અને કલાકો સુધી સિક્યુરિટી સાથેની માથાકૂટ બાદ પણ પ્રવેશથી વંચિત રહીને ગરબા ખેલૈયાઓએ પરત ફરવું પડ્યું હતું.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.