વડોદરા : મનપા કમિશનરે સ્થાયી સમિતિમાં વર્ષ 2025-26નું રૂ. 6200 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું...

મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં આ વર્ષે રૂપિયા 6200.56 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડનું લક્ષ્યાંક મુકવામાં આવ્યો

New Update
  • મનપાનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ-રીવાઈઝડ અંદાજપત્ર રજૂ

  • મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું

  • સફાઈ વેરાના રૂપિયા 50 કરોડના વધારવા માટે સૂચન કરાયું

  • કુલ રૂ. 6,200.56 કરોડના બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું

  • પ્રાથમિક સુવિધાને લગતા કાર્યનો વિશેષ પ્રકારનો સમાવેશ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. જેમાં રૂપિયા 50 કરોડનો સફાઈ વેરાના વધારવા સૂચન કર્યું છે. જ્યારે કુલ રૂપિયા 6,200.56 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને સુપ્રત કર્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં આ વર્ષે રૂપિયા 6200.56 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડનું લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. 

આ સાથે જ કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનો લક્ષણ રૂ. 740 કરોડ મુકવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે. પરંતુ તેની સાથે રૂપિયા 50 કરોડનો સફાઈવેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવાઇઝ અંદાજપત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે રૂ. 6,0013 ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.

ગત વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 1,700 કરોડના વિકાસના કામો રજૂ કર્યા હતા જેમાંથી અંદાજે 700 કરોડના કામો અધૂરા રહ્યા છેજ્યારે કેટલાક કામો તો માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સમાન જ રહ્યા છેઅને તે કામો શરૂ થઈ શક્યા જ નથીત્યારે આ વર્ષે ફરી એકવાર 1,800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મુકવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધાને લગતા કામોનો સમાવેશ થાય છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.