વડોદરા : હવે તમે સુરસાગર તળાવમાં બોટિંગ કરી શકશો, 29 વર્ષ બાદ ફરીથી બોટિંગ સેવા શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા હવે ભાજપને લોક સુવિધાઓ અને ખાતમુહૂર્તના કામો યાદ આવી રહ્યા છે,

New Update
વડોદરા : હવે તમે સુરસાગર તળાવમાં બોટિંગ કરી શકશો, 29 વર્ષ બાદ ફરીથી બોટિંગ સેવા શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા હવે ભાજપને લોક સુવિધાઓ અને ખાતમુહૂર્તના કામો યાદ આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી બોટિંગ કરી શકશે. જેના માટે 50 રૂપિયા ફી તેમજ 12 વર્ષથી નાના બાળકો માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ, સુરસાગર તળાવની આજુબાજુ ગીચ વિસ્તાર આવેલો છે, અને ત્યાં વર્ષોથી વાહનોના પાર્કિંગની ઘણી મોટી સમસ્યા છે. પાલિકા દ્વારા બોટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે તો નાગરિકોનો ઘસારો વધશે. પરંતુ પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાના કારણે નાગરિકોને પરેશાની ભોગવવી પડશે. તદુપરાંત નાગરિકો માટે શૌચાલય અને ફુડ સ્ટોલ જેવી વ્યવસ્થાઓ પર ઉભી કરવી પડશે. ઉલ્લેખનિય છે કે, 1993માં સુરસાગરમાં બનેલી નૌકા દુર્ઘટના પછી ત્યાં બોટિંગ બિલકુલ બંધ થઇ ગયું હતું. જોકે, 29 વર્ષ સુધી સુરસાગરમાં બોટિંગ બંધ રહ્યા પછી સેવાસદનના સત્તાધીશોએ તેના પુન: બોટિંગ સેવા શરૂ કરવા માટેની કવાયત આદરી હતી. આ પહેલા 2009માં પણ સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની વાતો થઇ હતી. પણ બોટિંગ સેવા શરૂ થઇ શકી નહોતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories