વડોદરા: પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરાય, કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ રહ્યા ઉપસ્થિત
કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિમાં પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk17 Sep 2023 11:46 AM GMT
X
Connect Gujarat Desk17 Sep 2023 11:46 AM GMT
વડોદરામાં આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવી હતી વડોદરામાં આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિમાં પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવી હતી.આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝાડફિયા, જિલ્લા કલેકટર અતુલ ગોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ દિલ્હીથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
Next Story