વડોદરા : કરજણમાં ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસનો છાપો, રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત...

જિલ્લાના કરજણનગરના નવાબજાર વિસ્તારમાં આવેલ જલારામનગરમાંથી પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.

New Update
વડોદરા : કરજણમાં ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસનો છાપો, રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત...

વડોદરા જિલ્લાના કરજણનગરના નવાબજાર વિસ્તારમાં આવેલ જલારામનગરમાંથી પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.પોલીસે રૂ. 3.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાની કરજણ પોલીસને બાતમી મળી હતી કે, કરજણના નવાબજાર ખાતે જલારામનગરમાં રહેતા કમલેશ વસાવાની ચણતરવાળા પતરાની ઓરડીમાં ભેળસેળયુક્ત બનાવટી ઘી જાતે બનાવી પાઉચમાં પેકિંગ કરી વેચાણ અર્થે રાખ્યું છે, ત્યારે બાતમીવાળા સ્થળે છાપો મારતાં પોલીથીન તેલના ડબ્બા તથા વનસ્પતિ ઘીના ડબ્બા, ગેસની બોટલ, સગડી અને વજનકાંટો સહિત રૂ. 3.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર નવાબજાર-કરજણના શાસ્ત્રીપાર્કના રહેવાસી રાકેશ વઘાસીયા અને કરજણના જલારામનગરના રહેવાસી કમલેશ વસાવાની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, કરજણ નગરમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.