વડોદરા : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે પોલીસે મુખ્ય આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું...

બાબર પઠાણે હત્યાના ગુનાને અંજામ કેવી રીતે આપ્યો તે જાણવા માટે પોલીસે રિ-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી. લોકટોળા ન ઉમટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહેલી સવારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

New Update
  • પૂર્વ કોર્પોરેટરના પુત્રની જાહેરમાં થયેલી હત્યાનો મામલો

  • પોલીસ દ્વારા આરોપીઓને પકડી તેઓના રિમાન્ડ મેળવાયા

  • હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તે જાણવા પોલીસની કાર્યવાહી

  • મુખ્ય આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા રિ-કન્સ્ટ્રક્શન કરાયું

  • આ મામલે 10 આરોપીઓની કરવામાં આવતી ઘનિષ્ઠ પૂછપરછ

વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને સાથે રાખી ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડી તેઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ દરમિયાન આજરોજ મુખ્ય આરોપી બાબર પઠાણને સાથે રાખીને સયાજી હોસ્પિટલ ખાતે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

બાબર પઠાણે હત્યાના ગુનાને અંજામ કેવી રીતે આપ્યો તે જાણવા માટે પોલીસે રિ-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ કરી હતી. લોકટોળા ન ઉમટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહેલી સવારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં રિ-કન્સ્ટ્રક્શન કરી આરોપીને પરત લઈ જવામાં આવ્યો હતો.

ગણ્યા ગાંઠિયા પોલીસ કર્મીઓ સાથે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેતપન પરમારની હત્યા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે. હાલ સુધીમાં આ મામલે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છેઅને તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.