વડોદરા : MSUની પોલિટેકનિક કોલેજના પોલિટિકલ પ્રોફેસર, વ્હોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIનો વિરોધ...

MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસરે વોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

New Update
વડોદરા : MSUની પોલિટેકનિક કોલેજના પોલિટિકલ પ્રોફેસર, વ્હોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIનો વિરોધ...

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસરે વોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસર સમીર શાહે વોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા ભારે વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે NSUIએ રોષ વ્યક્ત કરી પ્રોફેસર સમીર શાહને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ પ્રોફેસર સમીર શાહનો ફોટો ફાડીને તેમની ઉપર જ ફેંક્યો હતો. જોકે, આ મામલે સમીર શાહનું કહેવું છે કે, તેમણે આ પોસ્ટ માત્ર વિદ્યાર્થીઓના નોલેજ માટે વોટ્સએપ ગ્રુપમાં મુકી હતી. જોકે, અગાઉ પણ આ પ્રોફેસર અનેક વિવાદોમાં આવ્યા છે, અને ફરીવાર આજ પ્રોફેસર દ્વારા ફરીવાર ગેરરીતી કરવામાં આવી છે. નિયમ મુજબ કોઈપણ પ્રોફેસર કોઈપણ પ્રકારની પોલિટિકલ એક્ટીવીટી પોતાની સંસ્થા કે, જ્યાં તેમની ફરજ બજાવતા હોય ત્યાં કરી શકતા નથી. પ્રોફેસર કોઈપણ પ્રકારની માહિતી, મેસેજ કે કોઈને પર્સનલ ગ્રુપમાં મોકલી શકતા નથી, ત્યારે પ્રોફેસર સમીર શાહને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરા શહેર NSUI પ્રમુખ દ્વારા ડીનને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

#Gujarat #Vadodara #opposition #ABVP #Political Professor #MSU's Polytechnic College #NSUI's #WhatsApp group
Latest Stories
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, ...

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.