વડોદરા : સયાજીગંજના ધારાસભ્ય બનતા કેયુર રોકડિયાએ મેયર પદેથી “રાજીનામું” આપ્યું…

એક વ્યક્તિ દ્વારા ફક્ત એક જ હોદ્દાનો અમલ કરાતો હોવાથી ભાજપ દ્વારા નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે,

New Update
વડોદરા : સયાજીગંજના ધારાસભ્ય બનતા કેયુર રોકડિયાએ મેયર પદેથી “રાજીનામું” આપ્યું…

એક વ્યક્તિ દ્વારા ફક્ત એક જ હોદ્દાનો અમલ કરાતો હોવાથી ભાજપ દ્વારા નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે, ત્યારે વડોદરાના મેયર કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પર ધારાસભ્ય પણ છે. જેના કારણે તેઓએ આજરોજ મનપા સભા સેક્રેટરીને રાજીનામું સુપ્રત કર્યું હતું.


રાજકોટના મેયરે પદ પરથી રાજીનામું આપ્યા બાદ, આજે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ પણ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. એક વ્યક્તિ દ્વારા ફક્ત એક જ હોદ્દાનો અમલ કરાતો હોવાથી ભાજપ દ્વારા આ નિર્ણય લેવમાં આવ્યો છે. તેવામાં વડોદરાના મેયર કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે કેયુર રોકડિયાએ આજરોજ મનપા સેક્રેટરીને રાજીનામું સુપ્રત કર્યું હતું. કેયુર રોકડિયાએ જણાવ્યુ હતુ કે, પાર્ટીએ વિચાર મૂક્યો છે કે, એક વ્યક્તિ એક જવાબદારી નિભાવી શકે, ત્યારે આ નિર્ણય દરેક વ્યક્તિ અપનાવે જેથી બીજા કાર્યકર્તાઓને પણ સાચવી શકાય અને ન્યાય આપી શકાય છે. આ વિચારને સમર્થન આપતા જ્યારે હાલમાં 2 મુખ્ય સયાજીગંજ બેઠકના ધારાસભ્ય અને શહેરના મેયરની જવાબદારી કેયુર રોકડિયા પાસે જવાબદારી છે. જોકે, હાલમાં જ 23 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઇ રહ્યુ છે, ત્યારે સવા મહિના સુધી દરેક ધારાસભ્યએ ગાંધીનગર રોકાવું પડે તેમ છે. આ સાથે જ વડોદરા શહેરના નાગરિકોના અનેક પ્રશ્નો, શહેરના વિકાસની વાતો, અનેક નિર્ણયો આ તમામ મેયરપદેથી કરવાના હોય, ત્યારે પાર્ટીના વિચારને માન્ય રાખીને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીસ સમક્ષ મેયર પદેથી રાજીનામા અંગેનો પ્રશ્ન લખતા તેના જવાબમાં મંજૂરી મળી હતી. જેથી મેયર કેયુર રોકડિયાએ આજરોજ સભા સેક્રેટરીને રાજીનામું સુપ્રત કર્યુ હતું.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

Latest Stories