વડોદરા: બે દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપનો પ્રારંભ

વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે, દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો

New Update
  • ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપનો પ્રારંભ

  • શહેર પોલીસ કમિશનરના હસ્તે કરાયો પ્રારંભ

  • ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ લીધો છે ભાગ

  • 75 પ્લેયર્સ પોતાની યોગાસના કલાને કરશે રજૂ  

  • પોલીસકર્મીઓને તણાવ મુક્ત કરવાનો પ્રયાસ

વડોદરા ખાતે બે દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.ચોવીસે કલાક લોકો માટે ખડે પગે રહેતા પોલીસ તંત્રને સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ સ્વાભાવિક છે.ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા કેળવવાનો આ સ્પર્ધાથી પ્રયાસ કરવામાં આવ્યો છે.

વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છેદીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ કરવા માટે અથાક મહેનત કરી રહી છે.

ત્યારે આજરોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે.બે દિવસીય આ યોગાસના ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ ભાગ લીધો છે.જેમાં 75 પ્લેયર્સ પોતાની યોગાસના કલાને રજૂ કરશે.

વિવિધ પ્રકારના યોગાની પ્રસ્તુતિ ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે.જેમાં ટ્રેડિશનલ યોગાસનઆર્ટિસ્ટિક યોગાસનપૈર (જોડી) યોગાસનરિધમિક યોગાસન વગેરે જેવા યોગાસનોની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે.યોગાને એક કોમ્પિટિટિવ કોર્સ તરીકે ઓળખ આપવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોના ભાગરૂપે આજરોજ પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો આરંભ કરવામાં આવ્યો છે.

પોલીસ કર્મચારીઓનો તણાવ દૂર થાય તેમજ તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા પણ મુખ્ય હેતુ સાથે શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થઈ શકશે,અને પોલીસ કર્મચારીઓ પોતાનું યોગદાન પ્રજાની સુરક્ષા માટે આપી શકશે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમારયોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આર. જે જાડેજાટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલાજોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના લીનાબેન પાટીલસહિત વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.