વડોદરા : એડમિશન મુદ્દે એમ.એસ.યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું...

કોમર્સ ફેકલ્ટીના ડીન ચોર છે, તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, વિરોધ દરમ્યાન યુનિવર્સિટીના કાચ તૂટતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

New Update

વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી

યુનિ.ની મુખ્ય બિલ્ડીંગ ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓના એડમિશનના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન

યુનિવર્સિટીના કાચ તૂટતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વિદ્યાર્થીઓના હિતમાં નિણર્ય લેવા NSUI દ્વારા રજૂઆત

વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડીંગ ખાતેNSUI દ્વારા એડમિશનના મુદા લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડીંગ ખાતે એડમિશનના મુદા લઈનેNSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ સાથે જ કોમર્સ ફેકલ્ટીના ડીન ચોર છેતેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકેવિરોધ દરમ્યાન યુનિવર્સિટીના કાચ તૂટતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

NSUI દ્વારા ઘણા વિરોધ પ્રદર્શન બાદ પણ ડીન કેતન ઉપાઘ્યાયએ આવેદન પત્ર નહીં સ્વીકારતા વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતોત્યારે હાલ તોસમગ્ર મામલેNSUI દ્વારા 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છેઅને વિદ્યાર્થીઓના હિતમાં નિણર્ય લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશેતેવીNSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.