અમારે તો બસ દેશનું નામ રોશન કરવું છે” : વડોદરાના ચાર ખેલાડીઓની બોક્સિંગ વિશ્વકપમાં પસંદગી

ગુજરાતભરમાંથી પસંદ થયેલા વડોદરાના 4 કિક બોક્સિંગ પ્લેયર તુર્કીના ઇસ્તંબુલમાં વાકો ઓપન વર્લ્ડકપમાં રમશે, એક ખેલાડીનો તો પુત્ર પણ નેશનલ લેવલે રમે છે.

New Update
અમારે તો બસ દેશનું નામ રોશન કરવું છે” : વડોદરાના ચાર ખેલાડીઓની બોક્સિંગ વિશ્વકપમાં પસંદગી

ગુજરાતભરમાંથી પસંદ થયેલા વડોદરાના 4 કિક બોક્સિંગ પ્લેયર તુર્કીના ઇસ્તંબુલમાં વાકો ઓપન વર્લ્ડકપમાં રમશે, એક ખેલાડીનો તો પુત્ર પણ નેશનલ લેવલે રમે છે.

વડોદરાના 4 કિક બોક્સિંગ પ્લેયરની તુર્કીના ઇસ્તંબુલમાં વાકો ઓપન વર્લ્ડકપમાં રમવા માટે પસંદગી કરવામાં આવી છે. તુર્કીના ઇસ્તંબુલ ખાતે આગામી 18થી 21 મે દરમિયાન ધ તુર્કીસ ઓપન વાકો વર્લ્ડકપ-2023 યોજાનાર છે. જેમાં દેશભરમાંથી કિક બોક્સિંગના 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 4 ખેલાડીઓની પસંદગી થઈ છે. આ ચારેય ખેલાડીઓ વડોદરાના છે. જેમાં આકાશ ચવાણ, અભિજીતસિંહ સોલંકી, ઇશિતા ગાંધી અને પાવની દયાલનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આજે સવારે આ ચારેય ખેલાડીઓ વડોદરાથી ટ્રેન મારફતે મુંબઇ જવા નીકળ્યા છે અને મુંબઇથી ફ્લાઇટમાં ઇસ્તંબુલ પહોંચશે. વર્લ્ડકપમાં પસંદગી પામેલ ચારેય ખેલાડીઓ ઉત્સાહિત થઈને ઇન્સતાંબુલ જવા માટે નીકળ્યા અને ગર્વની લાગણી અનુભવી હતી. ખેલાડીઓ અભ્યાસ અને વ્યવસાય વચ્ચે પ્રેક્ટિસનો સમય કાઢી સખત પરિશ્રમ કરતાં હતા. તેઓને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતા દેશને ગૌરવ અપાવવાની અને ગોલ્ડ મેડલ જીતવાની આશા વ્યક્ત કરી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.