વલસાડ : આઝાદ ચોકમાં ત્રણ મહિનાથી ઉભરાઇ છે ગટર, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી

New Update
વલસાડ : આઝાદ ચોકમાં ત્રણ મહિનાથી ઉભરાઇ છે ગટર, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી

વલસાડ ભલે દમણગંગા નદીના કિનારે વસેલું હોય પણ હાલ શહેરના આઝાદ ચોક વિસ્તારમાં ગટર ગંગા વહી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી ગટર ઉભરાવાથી અહીં રસ્તાઓ પર ગંદા પાણી વહી રહયાં છે....


તાજેતરમાં વલસાડ નગરપાલિકાની ચુંટણી યોજાઇ હતી જેમાં ઉમેદવારોએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના વાયદાઓ કર્યા હતાં પણ આ વાયદાઓ હાલ કાગળ ઉપર જ દેખાય રહયાં છે. તમે જે દ્રશ્યો જોઇ રહયાં છો તે વલસાડના આઝાદ ચોક વિસ્તારના છે. અહીં આવેલી ગટર છેલ્લા ત્રણ માસથી ઉભરાઇ રહી છે અને ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં છે. નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ગંદકીના કારણે આ વિસ્તારમાં દુકાનો ધરાવતાં વેપારીઓને પણ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નગરપાલિકાના નવા ચુંટાયેલા પદાધિકારીઓ આ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે...

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.