/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/04140032/WhatsApp-Image-2021-04-04-at-1.59.46-PM-e1617525053797.jpeg)
વલસાડ ભલે દમણગંગા નદીના કિનારે વસેલું હોય પણ હાલ શહેરના આઝાદ ચોક વિસ્તારમાં ગટર ગંગા વહી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી ગટર ઉભરાવાથી અહીં રસ્તાઓ પર ગંદા પાણી વહી રહયાં છે....
તાજેતરમાં વલસાડ નગરપાલિકાની ચુંટણી યોજાઇ હતી જેમાં ઉમેદવારોએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના વાયદાઓ કર્યા હતાં પણ આ વાયદાઓ હાલ કાગળ ઉપર જ દેખાય રહયાં છે. તમે જે દ્રશ્યો જોઇ રહયાં છો તે વલસાડના આઝાદ ચોક વિસ્તારના છે. અહીં આવેલી ગટર છેલ્લા ત્રણ માસથી ઉભરાઇ રહી છે અને ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં છે. નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ગંદકીના કારણે આ વિસ્તારમાં દુકાનો ધરાવતાં વેપારીઓને પણ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નગરપાલિકાના નવા ચુંટાયેલા પદાધિકારીઓ આ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે...