કુવૈતમાં ફરી અગ્નિકાંડના શિકાર થયા 4 ભારતીયો

ફરી એકવાર કુવૈતમાં અગ્નિકાંડ થયું છે. અહીં કુવૈત સિટીમાં એક ફ્લેટમાં ભયંકર આગની ઘટના બની. જેમાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું.

ag
New Update

રી એકવાર કુવૈતમાં અગ્નિકાંડ થયું છે. અહીં કુવૈત સિટીમાં એક ફ્લેટમાં ભયંકર આગની ઘટના બની. જેમાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું.

 અધિકારીઓએ આ મામલે જાણકારી આપતાં જણાવ્યું કે આ પરિવાર કેરળથી રજા માણીને પરત આવ્યો જ હતો અને અગ્નિકાંડનો શિકાર થઇ ગયો. 

મેથ્યૂઝ મુલક્કલ, તેની પત્ની લિની અબ્રાહ્મ અને તેમના બે બાળકો શુક્રવારે રાતે જ અબ્બાસિયા વિસ્તારમાં આ ઘટનાનો શિકાર થયા હતા. ઘટના સમયે તેઓ તેમના ફ્લેટમાં જ હતા.

રાતે 8 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં જ અગ્નિકાંડ સર્જાયો અને શ્વાસ રૂંધાવાને કારણે પરિવારના ચાર સભ્યો એકસાથે મોતને ભેટી ગયા. આ તમામ લોકો અલપ્પુઝાના નીરુત્તુપુરમના રહેવાશી હતા. 

#Fire #Kuwait
Here are a few more articles:
Read the Next Article