Connect Gujarat
દુનિયા

તાઈવાનમાં 7.7 તીવ્રતાનો આવ્યો ભુકંપ, 7 લોકોના મોત, 700 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત

તાઈવાનમાં 7.7 તીવ્રતાનો આવ્યો ભુકંપ, 7 લોકોના મોત, 700 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત
X

તાઈવાનમાં બુધવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી હતી. ભૂકંપના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ભૂકંપ બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તાઈવાન સરકારે જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. ઘાયલોની સંખ્યા પણ 700 ને વટાવી ગઈ છે.સના હાશ્મીએ કહ્યું કે, ઓથોરિટીએ ભૂકંપની સ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મેટ્રો, હાઈસ્પીડ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે.

તાઈવાન-એશિયા એક્સચેન્જ ફાઉન્ડેશનના સના હાશ્મીએ જણાવ્યું કે, વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવ્યો ત્યારે અમે ઘરે જ હતા. તાઈવાનમાં ધરતીકંપ સામાન્ય છે, પરંતુ આજનો ભૂકંપ અલગ હતો. તેમણે કહ્યું કે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હુલિન અને તાઈપેઈ જેવા શહેરોમાં વધુ નુકસાન થયું છે

Next Story