પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ચાલતી બસમાં થયો મોટો વિસ્ફોટ, 8 સુરક્ષાકર્મીઓના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ચાલતી બસમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં એક પેસેન્જર વાહન અને પોલીસના વાહનને ટક્કર મારી હતી.

New Update
pakistan att
Advertisment

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ચાલતી બસમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં એક પેસેન્જર વાહન અને પોલીસના વાહનને ટક્કર મારી હતી. ન્યૂઝ એજન્સી IANS અનુસાર બસમાં થયેલા વિસ્ફોટમાં 8 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગના યુવાનો છે. આ હુમલાએ અમને ફેબ્રુઆરી 2019માં ભારતમાં પુલવામા હુમલાની યાદ અપાવી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ CRPFના કાફલામાં સામેલ એક વાહનને વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે ટક્કર મારી હતી.

Advertisment

 ધ ડોનના અહેવાલ મુજબ બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. બલૂચિસ્તાનના પોલીસ મહાનિરીક્ષક કાર્યાલયના જનસંપર્ક અધિકારી રાબિયા તારિકે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, કરાચીથી તુર્બત જઈ રહેલી બસને નવા બહમાન વિસ્તારમાં નિશાન બનાવવામાં આવી હતી.                                           

Latest Stories