યુક્રેન રાષ્ટ્રપતિના સલાહકારે ચંદ્રયાન-3ની ઉડાડી મજાક, ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યાં.....
ભારતના નેતૃત્વમાં આયોજિત G20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યા
ભારતના નેતૃત્વમાં આયોજિત G20 સમિટ (G20 Summit) ના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યા હતા. તેમણે ભારત જ નહીં ચીનના લોકોને પણ નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ લોકો જે પગલાં ભરે છે તેના વિશે જાણતાં જ નથી કે તેના શું પરિણામ આવશે? પોડોલ્યાકે કહ્યું કે શું તમે જાણો છો કે ભારત અને ચીન સાથે લોચો શું છે? સમસ્યા એ છે કે આ લોકો જે કંઈ કરે છે તેના પરિણામ વિશે વિચારતાં નથી. આ દેશો પાસે ખૂબ જ નબળી બૌદ્ધિક ક્ષમતા છે. તેમણે કહ્યું કે હાં એ વાત સાચી છે કે આ લોકો વિજ્ઞાન પાછળ રોકાણ કરી રહ્યા છે. ભારતે લુનર રોવર લોન્ચ કર્યું જે ચંદ્રની સપાટી પર છે પણ તેનાથી એ નથી લાગતું કે તેમાં આધુનિક દુનિયાને સમજવાની ક્ષમતા છે. પોડોલ્યાકનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ચંદ્રયાન-3 મિશનની વાત કરતા દેખાય છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન મિશનની સફળતાનો મતલબ એ નથી કે ભારતના લોકો સમજુછે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલમાં યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કાળી માતાની એક વિવાદિત તસવીર પોસ્ટ કરી હતી.