Connect Gujarat
દુનિયા

નાઇજીરિયામાં વધુ એક "સંકટ" : પૂરના કારણે 600થી વધુ લોકોના મોત, લાખો લોકો બેહાલ...

નાઇજીરિયામાં આ ભયાનક દુર્ઘટનામાં 13 લાખથી વધુ લોકો બેઘર બનીને રસ્તા પર રહેવા મજબૂર છે. અગાઉ 2012માં દેશને પૂરનો સામનો કરવો પડ્યો હતો

નાઇજીરિયામાં વધુ એક સંકટ : પૂરના કારણે 600થી વધુ લોકોના મોત, લાખો લોકો બેહાલ...
X

વિશ્વમાં સૌથી વધુ ભૂખમરાના વિનાશક સંકટનો સામનો કરી રહેલા નાઈજીરિયા હાલમાં વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો, અહીં આવેલા પૂરના કારણે 600થી વધુ લોકના મોત થયા છે, જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે.

સમગ્ર ઘટના અંગે નાઈજીરિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટરે જણાવ્યું કે, પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં પૂરના કારણે તબાહી મચી ગઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશના મોટાભાગના રાજ્યો અનેક ચેતવણી આપ્યા છતાં સંપૂર્ણ રીતે તૈયાર નથી. નાઇજીરિયામાં આ ભયાનક દુર્ઘટનામાં 13 લાખથી વધુ લોકો બેઘર બનીને રસ્તા પર રહેવા મજબૂર છે. અગાઉ 2012માં દેશને પૂરનો સામનો કરવો પડ્યો હતો, જેમાં 21 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા, અને 363 લોકોના મોત થયા હતા.

યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે, નાઈજીરિયા વિશ્વના તે 6 દેશોમાં સામેલ છે, જે ભૂખમરાના વિનાશક સંકટનો સામનો કરી રહ્યા છે. નાઈજીરિયા માનવતાવાદી બાબતો અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સાદિયા ઉમર ફારુકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સ્થાનિક અધિકારીઓ સૌથી વધુ જોખમવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા જણાવ્યું હતું. નાઇજીરિયામાં છેલ્લા એક દાયકામાં આ સૌથી ભયાનક પૂર છે. પૂરના કારણે લગભગ 13 લાખ લોકો વિસ્થાપિત થયા છે, જ્યારે 2 લાખથી વધુ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, પૂર નવેમ્બરના અંત સુધી ચાલુ રહેવાની ધારણા છે. નાઇજીરિયામાં દર વર્ષે વરસાદની મોસમમાં હળવા પૂરનો અનુભવ થાય છે. જોકે, આ વર્ષે તે ખૂબ જ ખરાબ રહ્યું છે.

Next Story