કેનેડાઃ ખાલિસ્તાના સમર્થક ગેંગસ્ટર સુખાની હત્યા, બે ગેંગ વચ્ચેની લડાઈ બની મોતનું કારણ.

કેનેડાથી વધુ એક ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટરના મોતના સમાચાર આવી રહ્યા છે.

New Update
કેનેડાઃ ખાલિસ્તાના સમર્થક ગેંગસ્ટર સુખાની હત્યા, બે ગેંગ વચ્ચેની લડાઈ બની મોતનું કારણ.

કેનેડાથી વધુ એક ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટરના મોતના સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, બે ગેંગ વચ્ચેની લડાઈમાં ગેંગસ્ટર સુખા દુનેકેની હત્યા કરવામાં આવી છે. મેનિટોબા પ્રાંતના વિનીપેગમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી હતી. સુખા કેનેડામાં ખાલિસ્તાન ચળવળનો મોટો સમર્થક હતો.

નોંધનીય છે કે સુખા દુનાકેનું સાચું નામ સુખદુલ સિંહ હોવાનું કહેવાય છે. તે નકલી દસ્તાવેજો દ્વારા 2017માં પંજાબથી કેનેડા ભાગી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની જેમ સુખાનું પણ મોત થયું હતું. નિજ્જરને 15 ગોળીઓથી ઠાર કરવામાં આવ્યો હતો. તે બે ગેંગ વચ્ચેના યુદ્ધનું પરિણામ હોવાનું માનવામાં આવતું હતું. જો કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે તેમની હત્યા કોઈ પુરાવા આપ્યા વિના ભારત સાથે જોડાયેલી છે.

Read the Next Article

ફ્રાન્સમાં ભયાનક દાવાનળમાં 2000 હેક્ટર જંગલ બળીને રાખ, એરપોર્ટ-રેલવે સેવા બંધ કરાઈ

આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે.

New Update
wildfire

દક્ષિણી ફ્રાન્સમાં લાગેલી ભીષણ આગ દિન-પ્રતિદિન ઘાતક સ્વરૂપ લઈ રહી છે. આ આગ 2000 હેક્ટર સુધી ફેલાઈ ગઈ છે અને ભયાનક થઈ ચુકી છે કે, તેનો પ્રભાવ ફ્રાન્સના માટો શહેર માર્સિલે સુધી જોવા મળી રહ્યો છે. જોકે, સરકારે આગના વધતા પ્રભાવને જોતા માર્સિલે એરપોર્ટ બંધ કરાવી દીધું છે, આ સિવાય તમામ ફ્લાઇટ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. 

મળતી માહિતી મુજબ, આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે. 

નોંધનીય છે કે, વધતી આગ પર નિયંત્રણ મેળવવા માટે સરકારે 720 ફાયર ફાઇટર અને 220થી વધુ ફાયર બ્રિગેડની ગાડી અને મશીન તૈનાત કર્યા છે. આ મામલે તંત્રનું કહેવું છે કે, અત્યાર સુધી આશરે 700 હેક્ટર જંગલ બળીને ખાક થઈ ગયું છે. પરંતુ, સ્થિતિ ધીમે-ધીમે કાબૂમાં લાવવામાં આવી રહી છે.

આ પહેલાં તુર્કીયેના જંગલમાં પણ આગના સમાચાર સામે આવ્યા છે. તુર્કીયેના કૃષિ અને વન મંત્રી ઇબ્રાહમ યુમાકલીએ એક જુલાઈએ જણાવ્યું હતું કે, દેશભરમાં છેલ્લાં અમુક દિવસોમાં 342 જંગલમાં આગ લાગી છે. જેમાંથી અનેક આગ મનીસા, ઇજમિર, હાતાય અને અંતાક્યા જેવા વિસ્તારોમાં હજુ પણ છે. ત્યારબાદ 4 જુલાઈએ મંત્રીએ જાણકારી આપી હતી કે, 9માંથી 6 મોટી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 

નોંધનીય છે કે, ફ્રાન્સ અને તુર્કીયેમાં દાવાનળની વધતી ઘટના આબોહવા પરિવર્તન, તેજ ગરમી, શુષ્ક વાતાવરણનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતો અનુસાર, તેજ ગરમ હવા, શુષ્ક હવામાન અને વધતું તાપમાન દાવાનળનું મુખ્ય કારણ બની રહ્યા છે. જોકે, સરકારો સતત સ્થિતિ પર નજર રાખે છે અને રાહત કાર્યમાં તેજી લાવી રહી છે. જોકે, આ ઘટનાઓ પર્યાવરણ અને માણસના જીવન બંને માટે ચિંતાનો વિષય છે. 

France | horrific wildfires | forest