/connect-gujarat/media/media_files/2025/01/12/ekwe5xrG3mSxmwr85Ay5.jpg)
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મળતી માહિતી મુજબ, સુબિયાન્ટો ભારતની મુલાકાત પછી તરત પાકિસ્તાન નહીં જાય. હકીકતમાં આ મુદ્દો ભારત દ્વારા ઇન્ડોનેશિયા સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. અગાઉ પાકિસ્તાની મીડિયામાં સમાચાર હતા કે સુબિયાન્ટો ભારતની મુલાકાત પછી તરત પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા.
અહેવાલો અનુસાર ભારતે હજુ સુધી આ વર્ષના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિની ઔપચારિક જાહેરાત નથી કરી. સુબિયાન્ટોની હાજરી આ વખતે પ્રજાસત્તાક દિવસને વધારે ખાસ બનાવશે. તેમની યાત્રા ભારત-ઈન્ડોનેશિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.