/connect-gujarat/media/media_files/2026/02/24/pawan-hans-chopper-crashes-2026-02-24-14-06-40.jpg)
ઝારખંડમાં વિમાન દુર્ઘટના બાદ આંદામાન સમુદ્રમાં પણ એક ચોપર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં 2 ક્રૂ સભ્યો સહિત 7 લોકોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહત અનુભવી છે.
મળતી માહિતી અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં માયાબંદર નજીક લેન્ડિંગ પછી પવન હંસનું ચોપર આંદામાન સમુદ્રમાં ક્રેશ થયું હતું. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ચોપર 2 ક્રૂ સભ્યો અને 5 મુસાફરો સાથે પોર્ટ બ્લેરથી ઉડાન ભરી હતી. તેમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે, અને તેઓ સુરક્ષિત છે. કોઈ ઈજાના અહેવાલ નથી.
અધિકારીઓએ પણ પુષ્ટિ આપી હતી કે, બધા મુસાફરો સુરક્ષિત છે, અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચોપર ક્રેશ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ચોપરમાં કોઈ ટેકનિકલ ખામી હતી, અને પાઇલટે દરિયામાં ક્રેશ-લેન્ડિંગ કર્યું હતું.