PM મોદીએ જાપાનમાં G7 શિખર સંમેલન રિસાયકલ મટીરિયલમાંથી બનેલ જેકેટ પહેર્યું,પર્યાવરણ બચાવવાનો આપ્યો સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ખાસ જેકેટ વિશ્વને સસ્ટેનબિલિટીનો સંદેશ આપે છે.

New Update
PM મોદીએ જાપાનમાં G7 શિખર સંમેલન રિસાયકલ મટીરિયલમાંથી બનેલ જેકેટ પહેર્યું,પર્યાવરણ બચાવવાનો આપ્યો સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલન માટે જાપાન પ્રવાસે છે.G7 શિખર સંમેલનના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિશ્વ ભરના અનેક નેતાઓ હિરોશિમા શાંતિ મેમોરિયલ પાર્ક પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 નેતાઓ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ સ્મારક સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં G7 શિખર સંમેલન રિસાયકલ મટીરિયલમાંથી બનેલ જેકેટ પહેર્યું હતું.

જેની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે.G7 શિખર સંમેલન G7 શિખર સંમેલનના મંચ પરથી પર્યાવરણ બાબતે વિશ્વને ખાસ સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીના જેકેટમાં આ સંદેશ છુપાયેલો છે.PMO અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ખાસ જેકેટ વિશ્વને સસ્ટેનબિલિટીનો સંદેશ આપે છે.

Read the Next Article

અમેરિકાથી આવી રહેલી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવા પડ્યા

New Update
america plane

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ. આ કારણે મંગળવારે કોલકાતા એરપોર્ટ પર રોકાયા દરમિયાન મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવા પડ્યા.સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-180 રાત્રે 12:45 વાગ્યે શહેરના એરપોર્ટ પર સમયસર પહોંચી, પરંતુ ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ મોડી પડી.

સવારે 05:20 વાગ્યે વિમાનમાં પાઇલટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં તમામ મુસાફરોને ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઇટ કેપ્ટને મુસાફરોને કહ્યું કે ફ્લાઇટ સલામતીના હિતમાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

https://x.com/PTI_News/status/1934773506606289279

વિડિઓમાં બતાવવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાના વિમાનનું ડાબું એન્જિન કોલકાતા એરપોર્ટના ટાર્મેક પર ઊભું છે, જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યો છે. ટેકનિકલ ખામી સર્જાયા બાદ વિમાન એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું.

https://x.com/PTI_News/status/1934776150376821037

તમને જણાવી દઈએ કે સોમવારે, હોંગકોંગથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઈટને ટેકનિકલ ખામીની શંકાને કારણે હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું. ફ્લાઈટ 22,000 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી હતી, પરંતુ સાવચેતી રૂપે, પાયલોટે બપોરે 1:15 વાગ્યે (સ્થાનિક સમય) પ્લેનને હોંગકોંગમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. પ્લેનમાં શું ટેકનિકલ ખામી હતી? તે હજુ સ્પષ્ટ નથી. આ એર ઈન્ડિયા પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે.