સુદાન : એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતાં 9નાં મોત, મૃતકોમાં 4 સૈનિકો, અકસ્માતનું કારણ ટેકનિકલ ખામી
BY Connect Gujarat24 July 2023 6:58 AM GMT
X
Connect Gujarat24 July 2023 6:58 AM GMT
રવિવારે પોર્ટ સુદાન એરપોર્ટ પર સિવિલ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં સેનાના ચાર જવાનો સહિત નવ લોકોનાં મોત થયા હતા. સેનાએ જણાવ્યું કે વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર 2021માં, સુદાનની રાજધાની ખાર્તુમમાં લશ્કરી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર લેફ્ટનન્ટ કર્નલ સહિત ત્રણ અધિકારીઓનાં મોત થયા હતા.વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન બુધવારે અલ-શેગીલાબ નજીક ક્રેશ થયું હતું. જેમાં ત્રણ અધિકારીઓનાં મોત થયા છે.
Next Story