ઝઘડિયા: રાણીપુરા ગામથી સરદાર પ્રતિમા રોડ પર સ્ટ્રીટ લાઈટનો ઝગમગાટ, વાંચો કોણે કર્યું સેવાકાર્ય

New Update
ઝઘડિયા: રાણીપુરા ગામથી સરદાર પ્રતિમા રોડ પર સ્ટ્રીટ લાઈટનો ઝગમગાટ, વાંચો કોણે કર્યું સેવાકાર્ય

ઝઘડીયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓ દ્વારા આજુબાજુના ગામોમાં સીએસઆર હેઠળ ગ્રામજનો ની‌ વિવિધ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાત મુજબ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વર્ધમાન એક્રેલીક કંપની દ્વારા રાણીપુરા ગામે સ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડવામાં આવી છે.

publive-image

સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પરથી ગામને જોડતા રોડ પર કંપની દ્વારા ૨૭ વીજપોલ ઉભા કરી રાણીપુરા ગામને‌ ઝળહળતુ કરી રાત્રીના સમયે આવન જાવન કરનારા ગ્રામજનોને સુવિધા પુરી પાડવામાં આવી છે . આ ઉપરાંત વર્ધમાન કંપની દ્વારા રાણીપુરાની જર્જરીત આંગણવાડી નવી બનાવી આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે વર્ધમાન કંપનીના કે વી પટેલ, જીજ્ઞેશ પરમાર, અલ્પેશ પટેલ, પ્રજ્ઞેશ સોલંકી, નિલકંઠ રાજ્યગુરૂ, સંદિપ પટેલ, અભિષેક ઠક્કર, રાણીપુરાના સરપંચ જયંતિ વસાવા, ઉપ સરપંચ પ્રજ્ઞય તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.