અંકલેશ્વર: જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે ચાલતાં નીરવ એડયુપ્લે કોર્નરને થયા ત્રણ વર્ષ પુર્ણ

New Update
અંકલેશ્વર: જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે ચાલતાં નીરવ એડયુપ્લે કોર્નરને થયા ત્રણ વર્ષ પુર્ણ

અંકલેશ્વરના ચૌટાબજારમાં મ્યુનિસીપલ દવાખાનાની સામે જે.એન. પીટીટ લાયબ્રેરી આવેલી છે. લાયબ્રેરી ખાતે ત્રણ વર્ષ પહેલાં નીરવ એડયુપ્લે કોર્નરની સ્થાપના કરવામાં આવી હતી. લાયબ્રેરી ખાતે શરૂ થયેલા એડયુપ્લે કોર્નરએ સફળતાપુર્વક 3 વર્ષ પુર્ણ કર્યા છે.

publive-image

આ પ્રસંગે કોર્નરના નવા સભ્ય બનવા માટે ખાસ ઓફર આપવામાં આવી છે. ૧૫ થી ૩૧મી ઓગષ્ટ સુધીમાં સભ્યપદ મેળવનારા નાગરિકોને માત્ર ૪૦૦ રૂપિયામાં ૧ વર્ષની મેમ્બરશીપ આપવામાં આવશેની જાહેરાત કરાતા અંકલેશ્વરવાસીઓમાં આનંદ છવાયો હતો.

Latest Stories