અંકલેશ્વર : ઝમઝમ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયાં, સીસીટીવીમાં થયા કેદ

New Update
અંકલેશ્વર : ઝમઝમ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયાં, સીસીટીવીમાં થયા કેદ

અંકલેશ્વરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલાં ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયાં હતાં. ચોરી કરવા આવેલા તસ્કરો એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતાં.

Advertisment

અંકલેશ્વર શહેરમાં પોલીસતંત્ર નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત બન્યું છે ત્યારે તસ્કરો પણ તેમનો કસબ અજમાવવા માટે સજજ બન્યાં હોય તેમ લાગી રહયું છે. અંકલેશ્વરમાં સતત ધમધમતા રહેતા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચોરીની ધટના બાદ લોકોમાં ભય જોવા મળી રહયો છે. સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના ચોરીના ઇરાદે તસ્કરો ત્રાટકયાં હતાં. તેમણે એપાર્ટમેન્ટના ફલેટને બહારથી બંધ કરી દીધાં અને ચોરી કરવાની શરૂઆત કરી હતી. ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પોતે સીસીટીવીમાં કેદ થઇ ગયા હોવાનું જણાતા ચોરોએ કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીના બનાવ બાદ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. પોલીસ રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories