અંકલેશ્વર તાલુકાનાં શતાયુ મતદારે ઉત્સાહભેર કર્યુ મતદાન

New Update
અંકલેશ્વર તાલુકાનાં શતાયુ મતદારે ઉત્સાહભેર કર્યુ મતદાન

ભરૂચ વિધાનસભા મતક્ષેત્ર 153માં આવતા અંકલેશ્વર તાલુકાનાં કરારવેલ ગામનાં 102 વર્ષનાં વૃધ્ધે મતદાન કરીને સૌને મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી હતી.

અંકલેશ્વર તાલુકાનાં કરારવેલ ગામનાં 102 વર્ષીય આદમભાઇ સુલેમાનભાઈ અટને ભરૂચ વિધાનસભા મતક્ષેત્ર માટે કરારવેલ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ.

આદમભાઇ અટને મતદાન માટે આળશ કરતા અને મતદાન નહિં કરતા નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

આદમભાઇ લોકશાહીનાં પર્વમાં પોતાનું યોગદાન આપીને ખુશી વ્યક્ત કરી હતી અને અન્ય માટે તેઓ પ્રેરણા રૂપ બન્યા હતા.

Latest Stories