અંકલેશ્વર: શહેરના કરસનવાડીના યુવાનો પદયાત્રા મહાકાળી માંના દર્શન અર્થે પાવાગઢ નીકળ્યા

અંકલેશ્વર: શહેરના કરસનવાડીના યુવાનો પદયાત્રા મહાકાળી માંના દર્શન અર્થે પાવાગઢ નીકળ્યા
New Update

આવતીકાલ રોજથી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે જેમાં સમગ્ર ગુજરાત ના હિન્દુ ધર્મના લોકો મા જગદંબાની આરાધના પ્રાર્થના કરશે.

સતત વર્ષોથી અંકલેશ્વરના કરસન વાડી યુવક મંડળના યુવાનો પાવાગઢ જઇ રહ્યો છે. ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતાં અંકલેશ્વર શહેરના કરસન વાડીના યુવકો દ્વારા પાવાગઢ પદયાત્રાનો શુભારંભ કરાયો છે. ૨૫ થી પણ વધુ લોકો આ પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રા બે થી ત્રણ દિવસની અંદર સંપૂર્ણ કરી તમામ ભક્તો પાવાગઢ મહાકાળી માને ધજા ચડાવી સુખ-સમૃદ્ધિ અને તંદુરસ્તી માટેની પ્રાર્થનાઓ કરશે.

Here are a few more articles:
Read the Next Article