અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે નામાંકન ભરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે નામાંકન ભરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ
New Update

અંકલેશ્વર - હાંસોટ વિધાનસભા બેઠક પર સતત ચોથી ટર્મ માટે રાજ્ય સરકારનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં નામની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

ઈશ્વરસિંહ પટેલે સાધુ સંતોનાં આશીર્વાદ લઈને શહેર ખાતે ભાજપની ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યુ હતુ, ત્યારબાદ મોટી સંખ્યામાં પોતાનાં સમર્થકો સાથે ઈશ્વરસિંહ પટેલે વિશાળ રેલી કાઢીને અંકલેશ્વર ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે સતત ચોથી ટર્મ માટે પક્ષ દ્વારા તેઓની ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો, અને ચૂંટણીમાં જંગી મતોની સરસાઈ થી વિજય બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article