અંકલેશ્વરનાં ઉમરવાડા ગામમાં પ્રદૂષણથી લોકો ત્રસ્ત

New Update
અંકલેશ્વરનાં ઉમરવાડા ગામમાં પ્રદૂષણથી લોકો ત્રસ્ત

જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનાં આક્ષેપો કરતા ગ્રામજનો

અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામ ખાતે ઔધોગિક પ્રદુષણની ફરિયાદો ઉઠતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનાં આક્ષેપો પણ તેઓ કરી રહ્યા છે.

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ ઉમરવાડા ગામમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદુષિત પાણી અને હવાનાં પ્રદુષણને કારણે ગામનાં રહીશો ભારે ત્રાસજનક પરિસ્થિતિ અનુભવી રહ્યા છે.

ઉમરવાડા ગામનાં રહીશ જુનેદ પાંચભાયાએ જણાવ્યુ હતુ કે ઉદ્યોગો દ્વારા ખોટી રીતે કેનાલ બનાવીને તેમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે, અને રાત્રીએ હવાનાં પ્રદુષણ થી પણ લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

વધુમાં આ અંગે અંકલેશ્વર જીપીસીબીનાં અધિકારીને વારંવારની રજૂઆત બાદ પણ તેઓ દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ભરૂચ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં ફરિયાદ કરીને તપાસની માંગ તેઓએ કરી છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories