New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/sddefault-19.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ 9 અને 14 ડિસેમ્બરનાં રોજ બે તબક્કામાં યોજનાર છે.ત્યારે ચૂંટણીની ચર્ચાઓ સાથે મતદારોમાં જાગૃતતા લાવવા અંગેના વિવિધ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
અંકલેશ્વરનાં ડેન્ટિસ્ટ ડો. હિરલ પંડયા દ્વારા પણ મતદાન અંગે લોકજાગૃતતા માટે એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. અને મતદાન કર્યા બાદ દાંતની સારવાર અર્થે તેમના ક્લિનિક પર આવશે તેમને નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.
ડો. હિરલ પંડયાએ મતદારોને ભવિષ્યને વધુ પ્રગતિમય અને વિકાસશીલ બનાવવા માટે અચૂક મતદાન કરીને લોકશાહીનાં પર્વમાં પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરી હતી.
Latest Stories