અંકલેશ્વરમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉમેદવાર અનિલ ભગતને આપ્યું સમર્થન

New Update
અંકલેશ્વરમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉમેદવાર અનિલ ભગતને આપ્યું સમર્થન

કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાનાં ઉમેદવારોનાં નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ ઠેર ઠેર વિરોધનો વંટોળ ફૂંકાયો છે, ત્યારે અંકલેશ્વરમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ઉમેદવાર અનિલ ભગતને સમર્થન આપીને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.

અંકલેશ્વર - હાંસોટ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા અનિલ ભગત પર ઉમેદવાર તરીકે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જે અંકલેશ્વરનાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ વધાવી લીધો હતો, અને શહેરની કોંગ્રેસની કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને અનિલ ભગતને સમર્થન આપ્યુ હતુ.

Latest Stories