New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/49635231_379618579526299_5723930755357212672_n.jpg)
શાસ્ત્રીનગર બીઆરટીએસ રોડ ઉપર રાત્રે સાડા અગિયાર વાગ્યે બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત પલ્લવ ચાર રસ્તા પાસે BRTS-કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/01/49895717_454483971753130_6509604325336023040_n-300x225.jpg)
અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળે-ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડયાં હતાં. મોડી રાતે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/01/49896906_2268201356750846_6407671376873783296_n-300x225.jpg)
આ અકસ્માત સમયે હાજર ત્યાં લોકોનું માનીએ તો બીઆરટીએસનો ચાલક નશાની હાલતમાં હતો. જેના કારણે આ બનાવ બન્યો છે. સૂત્રોની માનીએ તો અકસ્માત સમયે કાર પણ પૂરઝડપે આવી રહી હતી.
Latest Stories